Farmer organizations will observe Bharat Bandh on 16th February

આ તારીખે ભારત બંધનું એલાન! ખેડૂતોથી ખાસ અપીલ, ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દા…

Breaking News

રામ મંદિરના શુભારંભ બાદ એક ખબર સામે આવી છે કે આ દિવસે ભારત બંધ રહેશે વાત એમ છે કે યુનાઇટેડ કિસાન મોરચાએ 16 ફેબ્રુઆરીએ ભારત બંધની જાહેરાત કરી છે ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે આ માહિતી આપી હતી.

ટિકૈતે કહ્યું કે સંયુક્ત કિસાન મોરચાની સાથે આ ભારત બંધમાં અન્ય ઘણી સંસ્થાઓ ભાગ લેશે. 16 ફેબ્રુઆરીએ ખેડૂતો ખેતરોમાં કામ નહીં કરે અને દુકાનો પણ બંધ રાખવા વિનંતી કરવામાં આવી છે.

ટિકૈતે કહ્યું કે આ સમયગાળા દરમિયાન ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને નિવૃત્ત કર્મચારીઓ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. તેના દ્વારા MSP, નોકરી, અગ્નિવીર, પેન્શન વગેરે જેવા મુદ્દા ઉઠાવવામાં આવશે.

વધુ સમાચાર:મોટા સમાચાર: આ દિવસે ભારત બંધનું એલાન! ઉઠાવવામાં આવશે આ ખાસ મુદ્દાઓ, જાણો કેમ…

રાકેશ ટિકૈતે પણ આ દિવસે દુકાનો બંધ રાખવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, ટ્રાન્સપોર્ટરોએ પણ એક દિવસ બંધ રહેવું જોઈએ. રાકેશ ટિકૈતે અન્ય સંગઠનો પણ તેમાં જોડાવાની વાત કરી અને કહ્યું કે એક દિવસ તે ખેડૂતો અને મજૂરોના નામે હશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *