Jethalal opened up about Dayani Tarak Mehta's return to the show

તારક મહેતા શોમાં દયા બેનની વાપસી પર જેઠાલાલે કર્યો ખુલાસો, ફેન્સ થયા રાજી રાજી…

Bollywood Breaking News

દોસ્તો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં છેલ્લા કેટલાક સમયથી તારક મહેતા શો ને અલવીદા કહી ચુકેલા કલાકારો ના ખાલી પડેલા પાત્રો માં નવા કલાકારો ની એન્ટ્રી કરવામાં આવી છે જેમાં તારક મહેતાના પાત્રમાં સચિન શ્રોફ નવી બાવંરી નવી અંજલી ભાભી તો ઘનશ્યામ નાયકના નિધન બાદ નવા નટુકાકા એવામાં હવે ભવ્ય ગાંધી ને રીપ્લેસ કરેલા રાજ અનદકટ ની જગ્યાએ નવા ટપ્પુ ની પણ એન્ટ્રી તાજેતરમાં કરવામા આવી છે.

એ વચ્ચે હજુ પણ દયાબેન ના પાત્રમાં છેલ્લા 5 વર્ષ થી કોઈ કલાકાર જોવા મળતું નથી તારક મહેતા શોની શરૂઆત થી દયાબેન નું પાત્ર દિશા વાકાણી ભજવ્યું હતું અને જેમાં તેમને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

તેમનો સ્વભાવ તેમનો અભિનય અને આગવી શૈલીમાં લોકોને મનોરંજન કરાવતી તેમની અદા આજે પણ લોકો ભુલી શક્યા નથી સાલ 2017 માં દિશા વાકાણી એ તારક મહેતા શો માંથી બ્રેક લીધા બાદ તેઓ પરત ફર્યા નથી એ વચ્ચે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીનુ નિવેદન સામે આવ્યું છે.

તેમને આ મામલે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોથી લોકોને દયા જોવા મળી નથી જેનું પાત્ર દિશાજી ભજવતા હતા દિશાજીએ આ શો છોડ્યા બાદ જેઠાલાલ અને દયાના પાત્રમાં રહેલી મસ્તી જોવા મળતી નથી પરંતુ આ શો મેકર જ નક્કી કરી શકે છે કે દયા તરીકે કોણ વાપસી કરે છે આસીત મોદી એ જણાવ્યું છે કે ટુંક સમયમાં નવા દયાબેન વાપસી કરશે અને ગોકુલધામ સોસાયટીમાં ફરી ગરબા અને દાંડીયારાસ નો પ્રોગ્રામ જોવા મળશે.

વધુ વાંચો:તારક મહેતા સિરિયલ ની આ મોટી ભૂલો, જે તમે નહિ જાણતા હોય, આજસુધી આપણાથી છુપાવવામાં આવી છે…

સાથે તેમને એ પણ જણાવ્યું છે કે એવું કોઈ ચમત્કાર જોવા મળે છે દયાબેનના પાત્રમાં દિશા વાકાણી પરત ફરી જાય તો એ દર્શકો માટે ખુબ સારા સમાચાર હોઈ શકે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દિશા વાકાણી ફરી દયાબેનના પાત્રમાં જોવા મળે પરંતુ તેઓની મરજી પણ જરુરી છે કે તેઓ પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરે અમે તેમને પાછા લાવવા માટે અગાઉ પણ વિનંતી કરી ચુક્યા છીએ શો મેકર ના હાથમાં છે.

હવે દિશા વાકાણી ને સમજાવી શકે છે જે જુના શો છે એ આજે પણ અમે જોઈને ખુશ થઈએ છીએ તો સ્વાભાવિક છે કે દર્શકો પણ જેઠાલાલ અને દયાબેન ની જોડી ને પસંદ કરતા હોય અને તે જોડી હંમેશા દર્શકો ની પહેલી પંસદ પણ રહી છે દયાબેન ની વાપસી પર નવા ટપ્પુ ની પ્રેસ કોન્ફરન્સ વચ્ચે પણ આસીત મોદી એ જણાવ્યું હતું કે આ જવાબ આપવો ખુબ કઠીન છે.

દિશા વાકાણી પારીવારીક જીવન માં વ્યસ્ત છે તેઓ પરત ના પણ ફરી શકે અમે આશા રાખીએ છીએ દર્શકો ને અમે મનોરંજન કરાવતા રહીશું નવો ટપ્પુ આવ્યો છે તો દયાબેન પણ આવી જશે અને ફરીથી ગોકુલધામ સોસાયટીમાં ડાંડિયારાસ અને ગરબા જોવા મળશે.

તાજેતરમાં તારક મહેતા શો માં ફરી દયાબેન ના પાત્રની ચર્ચા થવા પામી છે એ વચ્ચે એ જોવું રહ્યું કે દિશા વાકાણી તારક મહેતા શોમાં પરત પર છે કે પછી કોઈ અન્ય અભિનેત્રી દિશા વાકાણી ની જગ્યા લઈ શકશે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *