Khajur Bhai showed kindness and love

ગુજરાતનાં દાનવીર ખજૂર ભાઈએ દયા પ્રેમ જતાવ્યો, 500 કાજુ બદામનો કિલો સૂકો મેવો ખવડાવીને ગૌસેવા કરી, જુઓ…

Bollywood Breaking News

ઘણા બધા લોકો કોઈ સારું કામ કરતા પહેલા મુરત જુએ છે પરંતુ ઘણા કામ એવા પણ છે જેમાં મુરત જોવાની જરૂર પડતી નથી અને એ કામમાંથી એક છે ગાય માતાને ભોજન આપવું આ શબ્દો સમર્પીત છે ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની ને ગુજરાત માં સેવાકાર્ય થી ખુબ લોકપ્રિયતા ધરાવતા ગુજરાતી કોમેડી સુપરસ્ટાર ખજુરભાઈ પોતાના અભિનય કેરિયરની સાથે લોક સેવામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે.

તેમને સૌરાષ્ટ્ર વિસ્તારમાં 250 થી પણ વધારે ગરીબ નિરાધાર વૃદ્ધ અને સહાય જોવા લોકોને મકાન બનાવી આપ્યા છે સાથે તેઓ ઘણા બધા ગરીબ પરિવારોની આર્થિક સહાયતા પણ કરી રહ્યા છે અને માતાપિતા વિનાના બાળકોને અભ્યાસ અર્થે મદદ કરવા માટે તેઓ ખૂબ જ મહેનત કરતા જોવા મળે છે.

તેમના સરળ સ્વભાવ અને શિવકીય મનોવૃત્તિના કારણે લોકો તેમને ભગવાનની ઉપમા પણ આપતા જોવા મળે છે આજે આ જમાનામાં ઘણા બધા લોકો પશુ પક્ષીઓ પર અત્યાચાર કરતા જોવા મળે છે એ વચ્ચે કોઈ કાજુ બદામ સૂકી દ્રાક્ષ પશુ પક્ષીને ખવડાવી શકે આ વાચંતા ઘણા લોકોને કદાચીત વિશ્વાસ પણ ન આવી શકતો હોય.

વધુ વાંચો:દાનવીર અને ગરીબોના મસીહા એવા નીતિન જાની ઉર્ફ ખજૂરભાઈના જીવનની સંઘર્ષભરી કહાની વિષે જાણો…

પરંતુ તાજેતરમાં ખજૂર ભાઈએ કાજુ બદામ નો સૂકો મેવો એક બે કિલો નહીં પરંતુ 500 કિલો કોથળા ઠલવી ને ખવડાવ્યો સાથે ખજૂર ભાઈએ જણાવ્યું કે ગૌસેવા એ જીવનમાં ખુબ જરૂરી છે ગાય ને માતાનુ બિરુદ આપવામાં આવ્યું છે ગાયમાતા ને ખવડાવેલુ ક્યારેય નિષ્ફળ જાતું નથી ગૌસેવા માટે તેમને આહવાન કર્યું હતું.

ખજુર ભાઈ ની આ કામગીરી ની ખુબ પ્રસંસા થવા પામી છે તેમને સોશિયલ મીડિયા પર વીડિયો પણ શેર કર્યો છે જે વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે જેમાં ખજૂર ભાઈ ઉર્ફે નીતિન જાની પોતાના ભાઈ તરુણ જાની સાથે આ સેવાકીય કાર્ય કરતા જોવા મળે છે.

ખજૂર ભાઈનો આ અંદાજ લોકો ખૂબ જ પસંદ કરે છે તેઓ હંમેશા નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરતા જોવા મળે છે એ વચ્ચે તેઓ પશુ પક્ષીઓ પ્રત્યે પણ પોતાના ભાવ દેખાડીને ગૌમાતા ને સુકો મેવો ખવડાવતા ધન્યતા અનુભવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *