The full story of Jethalal's struggle before the serial

સિરિયલ પહેલાની જેઠાલાલ ની સંઘર્ષ ભરી કહાની ! નોકર માંથી આ રીતે બન્યા શ્રેષ્ઠ અભિનેતા, જાણો…

Bollywood Breaking News

આજે જે કલાકારની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે તેમની કલાકારી ખૂબ જ ઉમદા રીતે પ્રસ્તુત કરે છે અને લોકો તેમને વખાણે પણ છે તેમણે એક ફિલ્મ કરી હતી જેમાં તેમનો કિરદાર નાનો હતો એક નોકરનો હતો પરંતુ તેમણે તે કિરદાર ખુબ જ સરસ રીતે કર્યો હતો તે હમણાં ટેલિવિઝનના નાના પરદા ઉપર નજર આવી રહ્યા છે.

તેમને નાના પડદાના સલમાનખાન કહેવામાં આવે છે તે ઘણા વર્ષોથી આ સીરિયલમાં કામ કરી રહ્યા છે મિત્રો તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી રહ્યા છે તેમનું નામ દિલીપ જોશી છે આજે અમે વાત કરવાના છીએ કે કઇ રીતે દિલીપ જોષીએ ફિલ્મોમાં નાના રોલ કરીને તેમનું નામ લોકો સમક્ષ લાવ્યો અને કેવી રીતે લોકોએ તેમને વખાણયા અને કઈ રીતે આજે તે લોકોના ચહિતા બની ગયા છે.

1969માં પોરબંદરના એક નાનકડા વિસ્તારમાં એક બ્રાહ્મણ પરિવારમાં દિલીપ જોષીનો જન્મ થયો હતો 12 વર્ષની ઉંમરે તેમણે એક નાટકમાં ભાગ લીધો હતો અને ત્યાર પછી તેમને એક્ટિંગનો કીડો લાગી ગયો હતો.

વધુ પઢો:બૉલીવુડ માંથી આવી દુઃખદ ખબર, મશહૂર કોમેડિયન નું થયું દુઃખદ નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ…

પરંતુ પરિવારના દબાણને કારણે તેમણે સ્કૂલ પૂરી કરી અને ત્યારપછી તેમણે મુંબઈના એનએમ કોલેજમાંથી કોમર્સ અને સાયન્સની ભણતર પૂરી કરી તે કોલેજના નાટકોમાં ભાગ લેતા હતા અને તે સાથે તે થિયેટરમાં પણ કામ કરતા હતા.

આવી રીતે તે તેમના નાટકના કરિયરમાં ખૂબ જ જોડાયેલા રહેતા હતા જેથી તે તેમની ભણતરને ટાઈમ આપી શકતા ન હતા જ્યારે પરિણામ આવ્યું ત્યારે દિલીપ જોશી નપાસ થયા હતા પરંતુ તેના પિતાએ તેને કંઈ કહ્યું નહીં કારણ કે તેમના પિતા જાણતા હતા કે તેમના છોકરાને ભણતરથી વધારે રસ એક્ટિંગમાં છે એટલે તેમને એક્ટિંગ તરફ જવા માટે કઈ રહ્યા હતા તેમણે ખૂબ જ પ્રોત્સાહન આપ્યું.

દિલીપ જોશીએ મુંબઈના પૃથ્વી થિયેટરથી તેમના કામની શરૂઆત કરી અને રણભૂમિમાં ભાગ લીધો અને ઘણા નવા નવા શો માટે કામ કરવા લાગ્યા તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કર્યું છે દિલીપ જોશીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કરવાનું ચાલુ કર્યું.

પરંતુ તેના રોલ ખૂબ જ નાના હતા એક બે સેકન્ડના રોલ આવતાં હતાં જેથી કોઈ તેમને જોઈ શકતા ન હતા પરંતુ દિલીપ જોષીએ હાર માની નહિ અને તે સતત વિચારતા હતા કે ક્યારેક ને ક્યારેક મને પણ કંઈક સારું કાર્ય મળી જશે.

થોડા વખત બાદ એક ફિલ્મ આવી હમ આપકે હે કોન જેમા દિલીપને એક રોલ આપવામાં આવ્યો તેમાં પણ દિલીપનો રોલ નાનો જ હતો પરંતુ તેમનો કિરદાર ખુબ જ સરસ હતો તેમાં તેમનું નામ ભોલારામ હતું અને તે મજાકી કિરદાર નિભાવતા હતા પરંતુ આ ફિલ્મમાં પણ તેમને કંઈ શ્રેય મળ્યો નહીં તે સમયની સૌથી વધારે સુપરડુપર હિટ ફિલ્મ હતી.

પરંતુ શ્રેય તેમાં કામ કરનારા સલમાન ખાન અને માધુરી દીક્ષિત જેવાં મોટા મોટા લોકોને મળ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ વધારે કામ ન મળતા તે નાના પડદા તરફ ગયા અને તેમણે સોંચ્યુ ત્યાં મારા કિરદારથી લોકોને ખુશ કરીશ તેમણે ઘણી સિરિયલો કરી જેમાં સૌથી પહેલા કયા તુમ ક્યા મેં સીરીયલ કરી અને ત્યારબાદ તે ઘણી સિરિયલો કરવા લાગ્યા શુભ મંગલ સાવધાન સીરીયલ તેમની ખૂબ જ પ્રખ્યાત થઈ હતી.

દિલીપ જોશી સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા હતા હવે તે નાના પડદા ઉપર પણ અને ફિલ્મોમાં પણ કામ કરી રહ્યા હતા પરંતુ તેમને નામની જરૂર હતી કેવી રીતે એક્ટરોને નામથી લોકો જાણે છે તેવી જ રીતે એક ઓળખની જરૂર હતી.

2006માં દિલીપ જોષીને ખૂબ જ ઓછા કામ કરવા માટેના પ્રસ્તાવ આવવા લાગ્યાં જેમાં એક બે દિવસ માટે જ તેમના રોલ હતા સિરિયલો જેમકે એફ.આઇ.આરમાં એક દિવસના કિરદાર માટે તે જતા હતા ત્યારબાદ દિલીપ જોશીના મિત્ર તમને યાદ આવ્યા તેમણે તેની એક ફિલ્મમાં કામ કર્યું હતું.

તે ફિલ્મનું નામ હતું યે દુનિયા હૈ રંગીન અને તે જ મિત્ર એક સીરીયલ લઈને આવનાર હતા તે સીરિયલમાં અસિત કમોદીએ દિલીપ જોષીને કામ કરવા માટે કહ્યું તેમણે દિલીપ જોષીને બે કિરદાર આપ્યા હતા એક જેઠાલાલનો અને જેઠાલાલના પિતા ચંપકલાલનો દિલીપ જોષીએ કહ્યું કે હું ચંપકલાલના કીરદાર માટે બરાબર નથી એટલે હું જેઠાલાલનો કિરદાર જરૂર કરીશ.

ત્યારબાદ અસિત મોદીએ દિલીપ જોશીનો વીડિયો જોયો અને તેમાં તેમને દિલીપજોશીનું કિરદાર ખૂબ જ પસંદ આવ્યો અને થોડાક જ દિવસમાં આ સીરિયલ નીકળતાની સાથે લોકોની મનપસંદ સિરિયલ બની ગઈ કારણ કે તે સમયે સાસ બહુની સીરીયલો અને કોમેડી સિરિયલો ચાલી રહી હતી અને ત્યાં અલગ નવી સિરિયલ નિકળી હતી જે સંપૂર્ણ ફેમિલી સાથે બેસીને જોઈ શકતી હતી.

આ કારણે આ સીરિયલને લોકોએ ખૂબ જ વખાણી અને લોકોની લોકપ્રિય બની ગઈ આ સિરિયલથી દિલીપ જોશીને એક ઓળખાણ મળી અને આજે પણ આ સીરિયલ દિલીપ જોશીથી ચાલતી હોય એવું કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *