આ વર્ષે અમરનાથ યાત્રા શરૂ થયા બાદ અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ પાંચ અમરનાથ યાત્રીઓના મોત સાથે આ વર્ષની અમરનાથ યાત્રામાં મૃ!ત્યુઆંક વધીને 19 થઈ ગયો છે. કુદરતી કારણોસર થયેલા નિધન પૈકી, પ્રવાસ દરમિયાન એક દિવસમાં થયેલા અવસાનની આ સૌથી વધુ સંખ્યા છે.
શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પાંચ અવસાન સાથે, આ વર્ષની યાત્રામાં મૃ!ત્યુઆંક વધીને 19 થઈ ગયો છે, જેમાં એક ITBP અધિકારી અને યાત્રાની ફરજ પરના એક સર્વિસમેનનો સમાવેશ થાય છે.
જ્યારે શ્રાઈન બોર્ડ યાત્રા દરમિયાન વિવિધ સેવાઓ પૂરી પાડવા સાથે સંકળાયેલા યાત્રાળુઓ અને અન્ય લોકો માટે નિયમિત તબીબી માર્ગદર્શિકા જારી કરે છે તમને જણાવી દઈએ કે અમરનાથ યાત્રીઓના અવસાનનું સૌથી સામાન્ય કારણ ઊંચાઈ પર ઓક્સિજનની ઓછી માત્રા છે.
વધુ વાંચો:ગુજરાતમાં રહેતા લોકો માટે ખુશખબરી, હવે આ યોજનાના લાભાર્થીઓને 5 લાખની જગ્યાએ મળશે 10 લાખ રૂપિયા…
અત્યાર સુધીમાં 1,37,353 શ્રદ્ધાળુઓએ કુદરતી રીતે બનેલા બરફના લિંગના દર્શન કરવા માટે ગુફા મંદિરની મુલાકાત લીધી છે. તે જ સમયે, જમ્મુ-શ્રીનગર હાઈવેને ટ્રાફિક માટે ખુલ્લો જાહેર કર્યા પછી, મંગળવારે (12 જુલાઈ) સવારે, 10,000 થી વધુ શ્રદ્ધાળુઓનો નવો સમૂહ ગુફા માટે રવાના થયો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.