મિત્રો લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે તારક મહેતા સોના મુખ્ય પાત્ર જેઠાલાલ જે દર્શકોની હંમેશા પહેલી પસંદ બની રહ્યા છે તેમના હાવ ભાવ તેમની સ્ટાઈલ તેમની કોમેડી અને તેમનો સ્વભાવ દર્શકોના દિલમાં સમય ગયો છે.
ભારતમાં જેટલું બોલીવુડ સુપરસ્ટાર નું મહત્વ છે એટલું જ મહત્વ જેઠાલાલનું છે જેઠાલાલ નુ પાત્ર દિલીપ જોષી ભજવી રહ્યા છે દિલીપ જોશી એ ઘણી બધી ટીવી સિરીયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે પરંતુ તેમને પોતાની સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા થી મળી હતી દિલીપ જોશી નો જન્મ 26 મેં 1968 ગુજરાત ના પોરબંદરમા થયો હતો.
પોતાની બાર વર્ષની ઉંમરે તેમને થિયેટરમાં કામ કરવાની શરૂઆત કરી હતી દિલીપ જોષી એ પોતાના અભિનય કેરિયર ની શરૂઆત સાલ 1989 માં આવેલી ફિલ્મ મેને પ્યાર કીયા થી કરી તેઓ આ ફિલ્મમા સલમાન ખાન ના નોકરની ભુમીકા માં જોવા મળ્યા હતા ત્યારબાદ તેઓ ઘણી બધી ફિલ્મોમાં કોઈ પણ પાત્ર ભજવતા જોવા મળ્યા હતા.
ખૂબ જ સર્ઘષ મય જીવન વચ્ચે તેઓ મુંબઈ માં ભાડે મકાન રાખીને કોઈ પણ ટીવી શો અને ફિલ્મોમાં કામ કરતા હતા એક સમયે તેમની પાસે દોઢ વર્ષ માટે કામ નહોતું એમને હિમંતના હારી અને તેમને આસીત મોદીએ નવા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માટે ઓફર આપી જેમાં શરુઆત માં તેમને બાપુજી ના પાત્રમાં સિલેક્ટ કરવામાં આવ્યા.
વધુ વાંચો:તારક મહેતા સિરિયલના બાપુજીની પત્ની છે ખુબ હોટ અને સુંદર, સુંદરતા જોઈને તમે પણ પીગળી જશો…
બાદમાં તેમને જેઠાલાલ ના પાત્રમાં સિલેક્ટ કર્યા જેઠાલાલ પોતાના મીડિયા ઇન્ટરવ્યૂમાં એ પણ જણાવ્યું હતું કે શરૂઆતમાં મને જ્યારે જેઠાલાલનું પાત્ર આપવામાં આવ્યું હતું ત્યારે હું ખૂબ જ હેરાન હતો કારણકે જેઠાલાલ ચાર્લી ની ભુમીકા હતી જેમાં પાતળો વ્યક્તિ નાની મુછો સાથે લોકોને હસાવે છે.
પરંતુ મને દર્શકો એ મારા આ શરીર સાથે પણ પસંદ કર્યો અને હું સફળ રહ્યો દિલીપ જોશી એ પોતાના ઇન્ટરવ્યૂ દરમિયાન એ પણ જણાવ્યું હતું કે હંમેશા સંઘર્ષ કરવો જોઈએ સર્ઘષમય જીવન થકી તમે કંઈક મેળવી શકો છો મારી પાસે શરૂઆતમાં કાંઈ કામ નહોતું.
એ સમયે મને આ ટીવી શો મળ્યો અને આજે હું જે કંઈ પણ છું તે તારક મહેતા શોના કારણે છું દિલીપ જોશી આજે પોતાની પત્ની અને બાળકો સાથે મુંબઈ માં જ રહે છે તેઓ પોરબંદર થી દશ કિલોમીટર દુર ગોસા ગામના વતની છે તેમની શરૂઆત અભિનયની એક મૂર્તિ બનીને કરી હતી તેમને એક પાત્ર આપવામાં આવ્યું હતું જેમાં સાત મિનિટ સુધી તેઓ મૂર્તિ બનીને ઊભા રહ્યા હતા સખત પરિશ્રમ સંઘર્ષ સાથે તેઓ આજે વૈભવી જિંદગી જીવી રહ્યા છે.
માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશમાં પણ જેઠાલાલ ના કરોડો ચાહકો છે તેમનો ટીવી શો તારક મહેતા અલગ અલગ ભાષાઓમાં અનુવાદ કરીને વિદેશમાં પણ દેખાડવામા આવે છે એક સમયે લોકો ખાવાનું ભુલી જાય છે પરંતુ જેઠાલાલ ની સીરીયલ નથી ભુલતા.