If you like khurbhai see the need

ખજુરભાઈને પસંદ કરતા હોય તો જરૂર જોજો, એક સાથે 9 દિવ્યાંગ બાળકો માટે એવું કામ કરી બતાવ્યું કે…

Breaking News

ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં અનેક ગરીબ નિરાધાર વૃદ્ધ અશક્ત દિવ્યાંગ લોકોના 200 થી વધારે મકાન બનાવી આપનાર અને ઘણા લોકોની આર્થિક મદદ કરી ને ખુબ લોકપ્રિયતા મેળવનાર ગુજરાતી કોમેડી અભિનેતા નિતિન જાની ઉર્ફે ખજુર ભાઈ ગોડંલ વિસ્તારમાં પહોચ્યા હતા.

અગાઉ તેમને વિચરીત સમુદાય જેવો ઠેર ઠેર ભટકી ને પોતાનું જીવન વ્યતીત કરતા હોય માથે છત અને નીચે ધરતી નિરાધાર એવા પરીવારના બાળકો ની સ્થિતિ જોઈ તેઓ હેરાન રહી ગયા 9 બાળકો માનસિક અસ્વસ્થ હતા દિવ્યાંગ બાળકોની દયનીય સ્થિતિ જોતાં ખજુર ભાઈ એ તેમનુ જીવન સુધારવાનો સંકલ્પ કર્યો અને તેમના રહેવા માટે સુદંર મકાન બનાવવાની તૈયારીઓ શરુ કરી દિધી.

એ મકાન ના વાસ્તુ પુજન માટે તાજેતરમાં ખજુર ભાઈ પહોંચ્યા હતા ખજૂર ભાઈનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગામ લોકો એકત્ર થઈને ઢોલ અને ફુલો ના વરસાદ સાથે ખજુર ભાઈને આવકારવા પહોંચ્યા ખજુર ભાઈએ ત્રણ રુમ બાલ્કની અને સંડાસ બાથરૂમ ની વ્યવસ્થા સાથે તમામ સુવિધાઓ આ મકાન માં કરી હતી.

વધુ વાંચો:નિરાધાર દાદીની વ્યથા સાંભળીએ રડવું આવી જશે, ખરેખરે ધન્ય કહેવાય આ ટીમને જે દાદી ની મદદે આવ્યા…

જેમાં વિજળી સહીત રશોઈનો સામાન અને સુવા માટે બેડ તીજોરી સહીત બાળકો માટે કપડાઓ અને તેમના માટે અનાજ કરીયાણાની તમામ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ આપી હતી ખજુર ભાઈ એ બાળકોની વચ્ચે બેસી ને વાસ્તુ પુજન કરી બાળકોના માતા પિતા ના આર્શીવાદ લેવા પહોંચ્યા.

ખજુર ભાઈને જોતા જ દિવ્યાંગ બાળકોના પરીવારજનો હૈયાફાટ રુદન કરવા લાગ્યા અને કહેવા લાગ્યા બાપ તમે અમારા જીવનમાં ભગવાન બનીને આવ્યા છો અમારા માટે તમે આ બંગલા બનાવી દીધા અમે રોડ ઉપર સુતા હતા ના બાળકોનું જેમ તેમ કરી ગુજરાન ચલાવતા હતા.

તમે સાક્ષાત પરમાત્મા ના સ્વરુપે આવ્યા અને અમને મદદ કરી ભગવાન માતાજી તમને ઘણુ આપે તમારી 7 પેઢીઓ માં કોઈ દી દુખ ના પડે એમ જણાવી ખજુર ભાઈને પગે પડતા ખજુર ભાઈ એ તેમને રોકી લીધા ખજુર ભાઈ એ લોકોને જણાવ્યું કે આવા ગરીબ નિરાધાર વૃદ્ધ અશક્ત અને દિવ્યાંગ લોકોની મદદ કરજો અને આપના થી ના બંને તો અમને જાણ કરજો અમે મદદ કરવા પહોંચીશુ સાથે લોકોને માનવતાનો સંદેશ આપતા વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *