અનંત-રાધિકાના પ્રિ-વેડિંગ બાદ અંબાણી પરિવારમાં એક પછી એક મંદિરે દર્શન કરવા જઈ રહ્યું છે હવે રિલાયન્સ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ શનિવારે બોટાદ જિલ્લાના સારંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજીની મુલાકાત લીધી હતી.
અનિલ અંબાણીએ હનુમાનજીની વિધિવત પૂજા કરી અને પ્રસાદ ચઢાવ્યો. અનિલ અંબાણી સાથે તેમની માતા કોકિલાબેન પણ હતા. દાદાની પણ માતા દ્વારા પૂજા કરવામાં આવી હતી.
અનિલ અંબાણી શનિવારે માતા કોકિલાબેન સાથે પ્રખ્યાત કષ્ટભંજનધામ પહોંચ્યા હતા. આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બનેલા સારંગપુરમાં હનુમાનજીના દર્શન કર્યા હતા. સારંગપુરના રાજાની પણ મુલાકાત લીધી. તેમણે મંદિરમાં કષ્ટભંજન દેવના દર્શન કરી પૂજા કરી અને કષ્ટભંજન દેવની પ્રાર્થના કરી આશીર્વાદ લીધા.
આ પણ વાંચો:યુઝી ચહલની પત્ની ધનશ્રીનો ટ્રોલર્સ પર ફૂટ્યો ગુસ્સો, થઈ ઈમોશનલ, કહ્યું- નફરત ન ફેલાવો મારો પરિવાર…
બંને તરફથી હનુમાન દાદાને પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. બાદમાં હનુમાન દાદાને ધ્વજા અર્પણ કરવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના આશીર્વાદ મેળવવાની સાથે મંદિરના દર્શન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.