બૉલીવુડના પીઢ અભિનેતા દેવ આનંદ હિન્દી સિનેમાનું એક મોટું નામ છે અભિનેતાની ફિલ્મો, સ્ટાઈલ અને સંવાદો બોલવાની રીત તમામ ચાહકોને ગમે છે દેવ આનંદનો જુહુ વિસ્તારમાં વિશાળ બંગલો હતો. અભિનેતાના અવસાન બાદ તેમનો બંગલો નિર્જન પડી ગયો હતો.
દેવ આનંદે પોતાના જીવનના 40 વર્ષ આ બંગલામાં વિતાવ્યા છે. લાંબા સમયથી નિર્જન રહેલો દેવ આનંદનો આ બંગલો હવે વેચાવા જઈ રહ્યો છે દેવ આનંદનો બંગલો તોડી પાડવામાં આવશે. વાસ્તવમાં, આગામી 26મીએ દેવ આનંદની 100મી જન્મજયંતિ છે પરંતુ આ ખાસ અવસર પહેલા દેવ આનંદના ફેન્સ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
તમને જણાવી દઈએ કે દેવ આનંદનો બંગલો, જે લાંબા સમયથી નિર્જન હતો, તે હવે વેચાવા જઈ રહ્યો છે. તેને તોડીને અહીં 22 માળની ઇમારત બનાવવામાં આવશે અહેવાલો અનુસાર, દેવ આનંદનો જુહુનો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે. હાલમાં, અભિનેતાના ઘરને લઈને કાગળની કાર્યવાહી ચાલી રહી છે.
વધુ વાંચો:હજી 9મો પત્યો નથી ને, ત્યાં 10માં મહિનાને લઈને અંબાલાલ પટેલની ઊંઘ ઉડાડી નાખે તેવી આગાહી…
રિપોર્ટ્સ અનુસાર, આ 73 વર્ષ જૂનો બંગલો 400 કરોડ રૂપિયામાં વેચાયો છે. વાસ્તવમાં, દેવ આનંદનો બંગલો પ્રાઇમ લોકેશન જુહુમાં છે અને તે ઔદ્યોગિક વિસ્તાર છે. આ જ કારણ છે કે હવે અહીં 22 માળનો ટાવર બનવા જઈ રહ્યો છે કહેવાય છે કે દેવ આનંદ અને તેમની પત્ની કલ્પના કાર્તિકે આ બંગલામાં લગભગ 40 વર્ષ વિતાવ્યા છે. આ બંગલો ઘણા સમયથી ખાલી પડ્યો હતો.
photo credit: BollywoodShaadis Hindi(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.