ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચ 17 ડિસેમ્બરે જોહાનિસબર્ગના ધ વેન્ડરર્સમાં રમાશે આ સીરીઝ માટે કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાની કપ્તાની સોંપવામાં આવી છે રાહુલની કપ્તાનીમાં ઘણા યુવા ખેલાડીઓને વનડે ટીમમાં તક આપવામાં આવી છે.
આ દરમિયાન ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચને લઈને ODI સિરીઝને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જ્યાં રાહુલ દ્રવિડ ODI શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ તરીકે હાજર રહેશે નહીં. ટીમ ઈન્ડિયાના કેપ્ટન કેએલ રાહુલ આ સીરીઝ દરમિયાન એક એવી ટીમની કેપ્ટનશીપ કરશે જ્યાં ઘણા ખેલાડીઓ યુવા હશે.
જ્યારે કેટલાક એવા ખેલાડીઓ પણ હશે જે લાંબા સમય બાદ વનડેમાં વાપસી કરશે. લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ, વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસન, મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર જેવા ખેલાડીઓ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા અને તક મળે તો બધાનું ધ્યાન આકર્ષિત કરવા ઈચ્છે છે.
વધુ વાંચો:સ્ટેજ પર ગાતાં-ગાતાં અચાનક જ ઢળી પડ્યો 30 વર્ષનો ફેમસ સિંગર, પડતાની સાથેજ થયું નિધન, વીડિયો જોઈને હચમચી જશો…
ફોટો ક્રેડિટ:ગૂગલ
ટીમની સાથે પ્રવાસની ODI શ્રેણી માટે કોચિંગ સ્ટાફમાં પણ ફેરબદલ કરવામાં આવનાર છે. સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ દિગ્ગજ સિતાંશુ કોટક અને NCA ના કોચિંગ સ્ટાફના અન્ય સભ્યો દ્રવિડ અને તેના માણસોની ગેરહાજરીમાં ODI ટીમની જવાબદારીઓ સંભાળતા જોવા મળશે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર અજય રાત્રા ફિલ્ડિંગ કોચ તરીકે જ્યારે રાજીબ દત્તા બોલિંગ કોચનું પદ સંભાળશે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.