બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા હાલ ચર્ચામાં છે મલાઈકા અરોરાએ ટીવીનો રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 11’ના મંચ પર બીજા લગ્નને લઈને મોટી હિંટ આપી છે આ શોનો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અરબાઝ ખાને 24 ડિસેમ્બરે સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા હતા. અરબાઝના આ બીજા લગ્ન છે. અગાઉ તેણે મલાઈકા અરોરા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા હતા ત્યારબાદ અરબાઝે શૂરા સાથે બીજા લગ્ન કર્યા.
અરબાઝે તેની પહેલી પત્ની બાદ હવે નવા લગ્નની જાહેરાત કરી છે. એ જ રીતે મલાઈકાએ પણ પોતાના લગ્ન જીવનને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. ઝલક દિખલા જા 11નો પ્રોમો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
વધુ વાંચો:સાબુ અને પાણી વગર કાઢ્યા 60 વર્ષ, આ છે દુનિયાનો સૌથી ગંદો વ્યક્તિ! તેમના પર ફિલ્મ પણ બની ચૂકી છે, જાણવા જેવી છે સ્ટોરી…
આ પ્રોમોમાં ફરાહ ખાન મલાઈકા અરોરાને પૂછે છે કે, “2024માં તમે અભિનેત્રી અને સિંગલ પેરેન્ટ બનશો કે અભિનેત્રી અને ડબલ પેરેન્ટ?” આના પર મલાઈકા કહે છે, “મારે ફરીથી કોઈને દત્તક લેવું પડશે”. આના પર ગૌહર ખાન કહે છે, “શું તમે ફરીથી લગ્ન કરશો?” આ પ્રોમો લોકોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
ગૌહરના સવાલનો જવાબ આપતા મલાઈકા કહે છે, “જો કોઈ સારો વ્યક્તિ હશે તો હું ચોક્કસ તેની સાથે 100% લગ્ન કરવાનું વિચારીશ. જો કોઈ મને લગ્ન માટે પ્રપોઝ કરશે તો હું ફરીથી લગ્ન કરીશ. મલાઇકાના આ નિવેદનથી સ્પષ્ટ છે કે તે બીજા લગ્ન માટે તૈયાર છે.
અરબાઝ ખાનથી અલગ થયા બાદ હવે મલાઈકા અરોરાના જીવનમાં અર્જુન કપૂરની એન્ટ્રી થઈ ગઈ છે. થોડા દિવસોથી એવું ચાલી રહ્યું છે કે અર્જુન અને મલાઈકા એકબીજા સાથે ડેટ પર જઈ રહ્યા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.