પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ પૂરો થતાં જ અયોધ્યાના રામ મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી હતી એક અધિકારીએ જણાવ્યું કે બીજા દિવસે બપોર સુધી લગભગ અઢીથી ત્રણ લાખ શ્રદ્ધાળુઓએ દર્શન લીધા છે અને એટલી જ સંખ્યામાં લોકો દર્શનની રાહ જોઈ રહ્યા છે. ભીડ જોઈને મંદિરના દરવાજા એક કલાક પહેલા ખોલવા પડ્યા હતા.
મંદિરમાં દર્શન કરવા માટેનો જબરદસ્ત ઉત્સાહ અને ધસારો જોઈને મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ અને મુખ્યમંત્રીએ પણ લોકોને સંયમ રાખવા અને આરામથી આવવા અપીલ કરવી પડી હતી અયોધ્યામાં ભારે ભીડ અને લાંબી કતારો હોવાના અહેવાલો વચ્ચે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે મંગળવારે બપોરે અયોધ્યા પહોંચ્યા હતા.
ફોટો ક્રેડિટ:ગૂગલ
મુખ્યમંત્રીએ અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં અધિકારીઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. બેઠકમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ અને મહાનિર્દેશક પ્રશાંત કુમાર હાજર હતા બેઠકમાં અયોધ્યા પ્રશાસનના ટોચના અધિકારીઓ પણ હાજર હતા.
વધુ વાંચો:Viral Video: મુંબઈમાં રામભક્તોએ બનાવી દીધું અયોધ્યા જેવું રામ મંદિર, વીડિયો થયો વાયરલ, જુઓ…
છેલ્લે રામલલાના દર્શન માટે ભક્તો એટલા ઉત્સુક હતા કે પહેલા જ દિવસે લગભગ 5 લાખ લોકોએ મંદિરમાં દર્શન કર્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ વ્યવસ્થાઓ અંગે સૂચનાઓ આપી હતી અને હેલિકોપ્ટર દ્વારા મંદિર પરિસરની સમીક્ષા કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા પણ નિહાળી હતી. દરમિયાન, જિલ્લા પ્રશાસને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓએ ઉતાવળમાં અયોધ્યા ન આવવું જોઈએ. 10-15 દિવસ પછી અયોધ્યા આવો અને આરામથી મુલાકાત લો.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.