અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ 22 તારીખે રામલલાની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ તમને જણાવી દઈએ કે અયોધ્યા જેવું જ એક રામ મંદિર મુંબઈના ઓશિવારામાં બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં ભગવાન શ્રી રામ પણ બિરાજશે. હાલમાં જ તેના નિર્માણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ઓશિવરામાં મંદિરનું નિર્માણ કાર્ય લાંબા સમયથી ચાલી રહ્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર ‘MUMBAI NEWS’ હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે તેના કેપ્શનમાં લખ્યું છે.
વધુ વાંચો:ભારતને લાગ્યો ઝટકો: ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મેચમાંથી બહાર થયા વિરાટ કોહલી, આ ખેલાડીને મળશે મોકો…
જોગેશ્વરી વેસ્ટમાં ઓશિવારા મેટ્રો સ્ટેશન પાસે મ્હાડા ગ્રાઉન્ડ ખાતે નિર્માણાધીન અયોધ્યા રામ મંદિરની પ્રતિકૃતિ આ વિડિયોમાં મંદિરની ઝલક અને નારિયેળ તોડીને બાંધકામનું ઉદ્ઘાટન જોઈ શકાય છે.
Video | Replica of Ayodhya Ram Mandir under construction at MHADA Ground, Near Oshiwara Metro Station in Jogeshwari West. pic.twitter.com/hJdtdKjM6n
— MUMBAI NEWS (@Mumbaikhabar9) January 21, 2024
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મંદિર ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રના ઉત્તર ભારતીય મોરચાના અધ્યક્ષ સંજય પાંડેએ બનાવ્યું છે. જેમાં અયોધ્યા રામ મંદિરની માટી અને સરયૂનું પાણી પણ લાવવામાં આવ્યું છે. રામ મંદિરને લઈને ભક્તોમાં ભારે ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તોનું કહેવું છે કે જો તેઓ અયોધ્યા જઈ શકશે નહીં તો તેઓ અહીં આવીને રામલલાના દર્શન કરશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.