હાલમાં દુખદ ખબર સામે આવી છે ભાજપના વરિષ્ઠ નેતા અને પીએમ મોદીના મિત્ર સુનીલ ઓઝાનું બુધવારે (29 નવેમ્બર) નિધન થયું. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા તેમના નિધનના સમાચારથી ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શોક વ્યક્ત કર્યો છે. નડ્ડાએ કહ્યું કે સુનીલ ઓઝાના નિધનથી પાર્ટીને મોટી ખોટ પડી છે. તમને જણાવી દઈએ કે સુનીલ ઓઝા ગુજરાતના ભાવનગરના રહેવાસી હતા. તેઓ ભાવનગરના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે પીએમ મોદીના સાચા સાથીઓમાં તેમનું નામ લેવામાં આવ્યું હતું.

photo credit: google
સુનીલ ઓઝા બિહાર ભાજપના સહ-પ્રભારી હતા. તેમને આ વર્ષે માર્ચમાં બિહાર બીજેપીના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ યુપીના સહ-પ્રભારી હતા સુનીલ ઓઝા ખૂબ જ ગ્રાસરુટ નેતા હતા. સુનિલ ઓઝાને બિહારના સહપ્રભારી બનાવ્યા બાદ રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.
વધુ વાંચો:દેશના સૌથી મોટા બિઝનેસમેનનું હદય એકાએક બંધ પડ્યું, સ્કૂટર પર નમકીન વેચીને ધંધો શરૂ કર્યો હતો…
બિહારમાં બ્રાહ્મણ સમુદાય પર તેમની સારી પકડ હતી કહેવાય છે કે નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે સુનીલ ઓઝા તેમના સાથી હતા સુનીલ ઓઝાના નિધન બાદ બિહાર ભાજપે પણ શોક વ્યક્ત કર્યો હતો.
આ સમાચારથી સમગ્ર ભાજપ પરિવાર દુઃખી છે. રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન હંમેશા યાદ રાખવામાં આવશે. ભગવાન પુણ્યશાળી આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને શક્તિ આપે.

photo credit: google
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.