About the life story of Papatbhai Ahir

આહિર સમાજ નું ગૌરવ પોપટભાઈ આહીર એક સમયે મોબાઈલ પર ટફન ગ્લાસ લગાવતા, જાણો તેમના જીવન સર્ઘષ વિષે…

Breaking News

આ જમાનામાં લોકો એટલા વ્યસ્ત છે કે પોતાના શિવાય કોઈ સ્નેહીજનો ની ચિંતા કરવા માટે પણ સમય નથી હોતો પરીવારજનો માટે પોતાનુ જીવન વ્યતીત કરતા લોકોની વચ્ચે ગરીબ નિરાધાર રાહ ચલતા ભિક્ષુકો અને પોતાના પરિવારજનોની વિખુટા પડી ગુમનામ ભરી જીંદગી વ્યતિત કરતા માનસિક અસ્થિર લોકોની પીડા દુઃખ સમજી ને હંમેશા મદદરૂપ થવા દોડી જતા પોપટભાઈ આહીરનો આજે લોકો તેમના સેવાભાવી કાર્યો થકી ખુબ આદર કરે છે.

તેઓ આજે ખુબ નામના ધરાવે છે પણ એક સમય એવો હતો કે તેઓ રસ્તા પર મોબાઈલ ના ટફન ગ્લાસ લગાવતા હતા પોપટભાઈ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ આજે જે ચાલે છે તેની સ્થાપના રજનીભાઈ કટારીયાએ કરી હતી તેને લોકોની લાગણીઓ પીડાઓ દુઃખ સમજીને લોકસેવાના કાર્યો કરવાની શરૂઆત કરી આ રજનીભાઈ બીજું કોઈ નહીં.

પરંતુ પોપટભાઈ પોતે છે તેમને પોપટ નામ તેમના દાદાએ આપ્યું હતું તેઓ નાનપણ માં ખુબ બોલકણા સ્વભાવ ના હતા એટલે પરીવારજનો તેમને પોપટ કહીને બોલાવતા આખરે આ નામ તેમની સાથે સંકળાઈ જતા તેઓ પોપટભાઈ નામે મશહુર થયા તેમને પોતાનો અભ્યાસ ભાવનગર અનાથ આશ્રમ માં પુરો કર્યો.

આ એક જ એ કારણ હતું કે માતા પિતા વગર ના લોકોની પિડાઓ તે સમજી શક્યા તેઓએ સુરતની પીપી સાયન્સ કોલેજ માં બીએસસી નો અભ્યાસ કર્યો પોતાની માત્ર 25 વર્ષની ઉંમરે તેમને લોકસેવાના કાર્યો ની શરૂઆત કરી તેઓ આજે ગરીબ લોકોની મદદ કરીને આનાથી લોકોને પોતાના આશ્રમમાં રહેવા જમવા માટેની તમામ સવલતો કરે છે તેઓ ચેરેટીબલ ટ્રસ્ટ ચલાવે છે જેમાં લોકોની મદદ અને ફાળો આવે છે.

વધુ વાંચો:રણવીર સિંહની વેનિટી વાનમાં જતા પરિણીતી ચોપડાને લાગે છે ડર, કારણ જાણીને તમે પણ ચોકી જશો…

તેમાથી તેઓ જરુરીયાત મંદ લોકોને મદદ પહોંચાડે છે સાથે યુટ્યુબ પર વિડીઓ વ્યુ એડસીન પ્રમોશન અને સ્પોન્સરસીપ થી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે પોપટભાઈ પોતાની ટીમ સાથે લોકસેવા ના કાર્યો કરે છે જેને આજ સુધી ઘણા બધા લોકોને પોતાના પરીવારજનો પાસે પહોંચાડ્યા છે ઘણા લોકોની મદદ કરી છે અને ઘણા વૃદ્ધ લોકોની સહાયતા કરી એમને આશરો આપ્યો છે.

આજે તેઓ પોતાના સેવા કિય કાર્યો થકી દેશભરમાં ખુબ નામના ધરાવે છે તેઓના આજે દેશભરમાં ફોલોવર છે જે પોપટભાઈ ને ખુબ માને છે અને તેમના કાર્યોને ખુબ પસંદ કરે છે આપને જો પોપટભાઈની કામગીરી પસંદ હોય તો આ પોસ્ટ ને શેર જરૂર કરજો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *