હાલમાં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે વાત એમ છે કે હૈદરાબાદની એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે બિરયાની માટે વધારાના રાયતા માંગ્યા પછી રેસ્ટોરન્ટના કેટલાક કર્મચારીઓએ તેને માર માર્યો જેના પરિણામે ગ્રાહકનું અવસાન થયું.
પોલીસે સોમવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે રાત્રે બની હતી જ્યારે 30 વર્ષીય વ્યક્તિ તેના ત્રણ મિત્રો સાથે એક રેસ્ટોરન્ટમાં જમવા ગયો હતો તેમણે કહ્યું કે ગ્રાહક અને હોટલના કેટલાક સ્ટાફ વચ્ચે ઝઘડો થયો જ્યારે તેણે બિરયાની ખાતી વખતે વધારાનું દહીં(રાયતું)માંગ્યું.
પોલીસના જણાવ્યા અનુસાર, ગ્રાહક અને રેસ્ટોરન્ટના કર્મચારીએ કથિત રીતે એકબીજા પર હુમલો કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, દલીલ વધી જતાં બે જૂથો વચ્ચે ઝઘડો થયો હતો, જેના પગલે પોલીસ હોટલ પહોંચી હતી બાદમાં ગ્રાહક અને હોટલના કર્મચારીએ પંજગુટ્ટા પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
વધુ વાંચો:ગદર 2 વાળા સની દેઓલને છે આ ગંભીર બીમારી છે, 65 વર્ષની ઉંમરે કર્યો ચોંકાવનારો ખુલાસો…
અધિકારીએ કહ્યું કે હુમલા બાદ ગ્રાહકને કોઈ મોટી ઈજા થઈ નથી, પરંતુ તેને ઉલ્ટી થવા લાગી અને તે પોલીસ સ્ટેશનમાં જ પડી ગયો. તેણે કહ્યું કે બાદમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
મૃતકના પરિવારજનોનો આરોપ છે કે તેને હોસ્પિટલ લઈ જવામાં વિલંબ થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ બાદ જ નિધનનું સાચું કારણ જાણવા મળશે. હાલ હત્યાનો ગુનો નોંધી તપાસ ચાલુ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.