હાલમાં ગજબ બનાવ સામે આવ્યો છે આ બનાવ તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં બિરયાનીને લઈને મોટો વિવાદ થયો હતો બિરયાનીને લઈને ઝઘડો એટલો વધી ગયો કે આ દરમિયાન એક વ્યક્તિનું અવસાન થઈ ગયું. ઝઘડામાં 3 લોકોએ એક વ્યક્તિનું જીવન સમાપ્ત કર્યું મૃતકની ઓળખ 22 વર્ષીય બાલાજી તરીકે થઈ છે.
એક ન્યૂઝ ચેનલ અનુસાર આ ઘટના રવિવારે બની હતી આનો એક સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મૃતક બાલાજી, જે એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો, રવિવારે તેના મિત્રો સાથે જમવા માટે મનુરપેટ બસ સ્ટોપ પર ગયો હતો ત્યારે દુકાનમાં દલીલ થઈ હતી અને વિવાદ વધી ગયો હતો.
મળતી માહિતી મુજબ, જ્યારે બાલાજી દુકાનમાંથી બિરયાની ખરીદી રહ્યા હતા, ત્યારે 3 નશામાં ધૂત લોકો ત્યાં પહોંચ્યા અને તેઓએ બિરયાનીનો ઓર્ડર પણ આપ્યો, તો દુકાનના માલિકે તેમને પહેલા બિરયાની આપી, જેના પર તેઓ બાલાજી સાથે દલીલ કરવા લાગ્યા.
વધુ વાંચો:વન ડે માં નબળો છે….છતાં પણ એશિયા કપમાં આ ભારતીય પ્લેયર ફાઈ ગયો, જાણો કોણ છે…
ઝઘડા દરમિયાન આરોપીઓએ બાલાજી પર સિકલ વડે હુમલો કરી રસ્તાની વચ્ચે જ માર માર્યો હતો. આ અંગેનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે જેમાં આરોપીઓ એક વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળે છે. જોકે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
बिरयानी पर विवाद, 3 लोगों ने युवक का बीच सड़क पर मर्डर किया
घटना चेन्नई की!#Chennai #biryani pic.twitter.com/hJ1zzu8pJX— rajni singh (@imrajni_singh) August 22, 2023
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.